Surat News: સુરત શહેરમાં બે ભાજપની મહિલા આગેવાન અને સરંપચ દ્વારા અગમ્ય કારણોસર આત્યંતિક પગલું ભરી લેવાયું છે. બંને દુઃખદ બનાવોમાં આપઘાતનું કારણ શોધવામાં પોલીસની તપાસ સામે સવાલો ઊઠી રહ્યા છે. સચિન વોર્ડ નં.30ના મહિલા મોરચાના પ્રમુખ દિપીક પટેલના આપઘાતને એક મહિનો થવા આવ્યો છે. હજી સુધી આ કેસમાં નક્કર કારણ સામે આવ્યું નથી. એક જ મહિનામાં નોંધાયેલા બીજા એક બનાવમાં સાયણની મહિલા સરપંચ જિજ્ઞાસા ઠક્કરે બે દિવસ અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી હતો.