મહેસાણાના ખેરાલુમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ખેરાલુના ચાચરીયા ગામે મનરેગામાં 24.85 લાખના કૌભાંડનો આક્ષેપ કરાયો છે. આ આરોપ ગામના આગેવાન દ્વારા કરવામાં આવ્યો છે. ચાચરીયા ગામના જશવંતભાઈ ચૌધરીએ કહ્યુ છે કે, મનરેગામાં મોટી પ્રમાણમાં કૌભાંડ આચરવામાં આવ્યુ છે. તો આ તરફ, ખેરાલુ ટીડીઓ કે.એ.ભાટીયાએ નિવેદન આપ્યુ છે. અને કહ્યુ છે કે, ચાચરીયા ગામે મનરેગામાં કોઈ કૌભાંડ થયું નથી.
મનરેગા કૌભાંડ અંગે અસ્પષ્ટતા
મહેસાણાના ખેરાલુમાં આવેલા ચાચરીયા ગામે મનરેગામાં કૌભાંડ થયાના આક્ષેપ સામે આવ્યા છે. પરંતુ આ આક્ષેપ મામલે અસ્પષ્ટતા જોવા મળી છે. ગામના આગેવાન જશવંતભાઈ ચૌધરીએ મનરેગામાં 24.85 લાખના કૌભાંડનો આક્ષેપ કર્યો છે. તો આ તરફ, ખેરાલુ ટીડીઓ કે.એ.ભાટીયાએ કહ્યુ છે કે, કૌભાંડના આરોપ પાયાવિહોણા છે. હવે આ મામલે તપાસ હાથ ધરાઇ છે. ખેરાલુ ટીડીઓ નિવેદન આપ્યુ હતુ કે, વર્ષ 2021થી વર્ષ 2024 સુધી 11 કામોને મંજૂરી આપવામાં આવી હતી. તમામ સ્થળોએ કામ ચાલી રહ્યા છે. અને તમામ કામોની ચકાસણી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
મનરેગા કાર્ય ચર્ચામાં
એક તરફ, મનરેગામાં 24.85 લાખના કૌભાંડનો આક્ષેપ છે. તો બીજી તરફ, કોઇ કૌભાંડ ન થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે સત્ય શું છે. તેના પર સૌ કોઇની નજર છે. પરંતુ મનરેગા જ્યા કામની તક પુરી પાડે છે. ત્યાં બીજી તરફ આ પ્રકારના કૌભાંડના આક્ષેપો કામ પર અવિશ્વાસ પેદા કરે છે. ત્યારે સત્ય શું છે તે અંગે જલદી ચકાસણી કરવામાં આવે.