આજે વિશ્વ અસ્થમા દિવસ છે. અસ્થમા બિમારી પણ હવે ડાયાબિટીસની જેમ ગંભીર બીમારી બની છે. એક વખત તમે ડાયાબિટીસની બીમારીના શિકાર બનો તો પછી આખું જીવન તમારે પોતાના આહારમાં અને દીનચર્યામાં મોટો બદલાવ કરવો પડે છે. એક સમયે પ્રારંભિક તબક્કે કેન્સર બીમારીની સારવાર થાય તો દર્દીને દવામાંથી અને બીમારીમાંથી લાંબાગાળે છુટકારો પણ મળે છે પરંતુ ડાયાબિટીસનો રોગ એક વાર શરીરમાં ઘુસે પછી તમે સંપૂર્ણપણે આ બીમારીમાંથી રાહત મેળવી શકતા નથી. એટલે જ ડાયાબિટીસના દર્દીઓએ સુગર લેવલ નિયંત્રણ રાખવા દૈનિક આહારમાં બદલાવ કરવો પડે છે.
બ્લડ સુગર નિયંત્રિત રાખવા ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્રની ચા વધુ ફાયદાકારક માનવામાં આવે છે. સવારે નિયમિત તમાલપત્રની ચાનું સેવન કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. તમાલપત્ર એક મસાલો છે જેનો ગરમ મસાલામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ભારતના રસોડામાં હંમેશા તમાલપત્રની હાજરી હોય છે. માટે ડાયાબિટીસના દર્દીઓએ આ બીમારીને નિયંત્રિત રાખવા મોંઘી દવા કરતા રસોડામાં રહેતા આ મસાલાનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક રહેશે. અમે તમને જણાવીશું કે કેવી રીતે તમાલપત્રની ચા બનાવવી.
તમાલપત્રની ચા બનાવવાની રીત
ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે તમાલપત્રની ચાનું સેવન કરવું જોઈએ. તમાલપત્ર ચા પીવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેને બનાવવા માટે સૌ પ્રથમ એક કપ પાણી ઉકાળો. અને ત્યારબાદ તેમાં 2-3 સૂકા તમાલપત્ર ઉમેરો. પછી તેને ધીમા તાપે 5-7 મિનિટ સુધી ઉકળવા દો. જ્યારે પાણી થોડું ઓછું થઈ જાય અને તમાલપત્રનો અર્ક સારી રીતે ઓગળી જાય, ત્યારે ગેસ બંધ કરો. તેને ગાળી લો અને જ્યારે તે હૂંફાળું થઈ જાય ત્યારે પી લો. જો તમે ઇચ્છો તો સ્વાદમાં વધારો કરવા તમે તેમાં થોડો લીંબુનો રસ અથવા તજ પણ ઉમેરી શકો છો, જે તેના સ્વાદ અને ગુણધર્મોને વધુ વધારે છે.
ચા પીવાના લાભ:
ભારતીય રસોડામાં જોવા મળતા તમાલપત્રમાં એન્ટી-ઓક્સિડન્ટ, બળતરા વિરોધી અને ડાયાબિટીસ વિરોધી ગુણધર્મો પણ છે. તમાલપત્ર રહેલ HDL (સારા) કોલેસ્ટ્રોલ વધારવામાં અને LDL (ખરાબ) કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તમાલપત્રમાં હાજર ફાયટોકેમિકલ્સ બ્લડ સુગરને સ્થિર રાખવામાં મદદ કરે છે. ડાયાબિટીસ એક એવો ગંભીર રોગ છે જે ધીમે ધીમે શરીરના અનેક ભાગોને અસર કરે છે. જો તેને સમયસર નિયંત્રિત ન કરવામાં આવે તો તે હૃદય, કિડની, આંખો અને ચેતા પર અસર કરી શકે છે. માટે આ દર્દીઓએ પોતાની જીવનશૈલી અને આહારમાં બદલવા કરવો પડશે. આમ કરવાથી બ્લડ સુગર કુદરતી રીતે નિયંત્રણમાં રહેશે. તમાલપત્રના તત્વો શરીરમાં ઇન્સ્યુલિનના ઉપયોગને વધુ અસરકારક બનાવે છે.
નોંધ: આ વિગતો વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે લખવામાં આવી છે, જો કે આ સંદર્ભે તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે