આજે દુનિયાભરમાં વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અસ્થમા એક ગંભીર બીમારી છે જે લાંબા ગાળે દર્દીઓના મોતનું કારણ પણ બની શકે છે. એટલે લોકોમાં અસ્થમા રોગ પ્રત્યે જાગૃકતા લાવવા વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. અસ્થમની બીમારીમાં દર્દીઓને શ્વાસનળીમાં સોજો આવે છે અને તેના કારણે તેમની શ્વાસનળી સાંકડી થઈ જતા તેમને શ્વાસ લેવામાં સમસ્યામાં થાય છે. શ્વાસનળીનો સોજો ધીરે ધીરે ફેફસા પર અસર કરે છે અને આગળ જતા ગંભીર પરિણામ લાવી શકે છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં ઘણા લોકોને અસ્થમાની સમસ્યાનો ખૂબ સામનો કરવો પડે છે.
હવામાનની અસ્થમના દર્દીઓ પર અસર
ઉનાળામાં ભારતમાં મોટાભાગના રાજ્યોમાં તાપમાન 44 ડિગ્રીથી 46 ડિગ્રીની આસપાસ જોવા મળે છે. કેટલાક લોકોનેતાપમાન વધતા અસ્થમાની સમસ્યા વધતી હોવાનું જોવા મળ્યું છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં અસ્થમાની સમસ્યા કેમ વધુ હોય છે અને તેને કેવી રીતે ઘટાડી શકાય તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અસ્થમાના દર્દીઓને બદલાતા હવામાનની જલદી અસર થાય છે. એટલે જ આરોગ્ય નિષ્ણાતો કહે છે કે હવામાન બદલાય ત્યારે અસ્થમાના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ગરમીમાં અસ્થમાની સમસ્યા વધે ત્યારે યોગ દ્વારા આ સમસ્યામાં ઘટાડો કરી શકાય છે. યોગ ફક્ત ફેફસાંના કાર્યમાં સુધારો જ નથી કરતો પણ શ્વસનતંત્રને મજબૂત બનાવે છે, તણાવ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. યોગ અસ્થમાના લક્ષણોને હળવા કરી શકે છે. અમે તમને આ ખાસ યોગ વિશે જણાવીશું જેનો નિયમિત અભ્યાસ કરવાથી અસ્થામની સમસ્યામાં રાહત મળે છે.
પ્રાણાયામ: પ્રાણાયામ શ્વાસ લેવામાં તકલીફ દૂર કરવામાં મદદ કરે છે અને શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારે છે. આ આસનનો અભ્યાસ કરવા માટે, પદ્માસનમાં બેસો અને તમારી કમર સીધી રાખો. ઊંડો શ્વાસ લો અને ઝડપથી તમારા પેટને અંદર ખેંચો અને શ્વાસ બહાર કાઢો. આ આસન સતત બે થી ત્રણ મિનિટ સુધી કરો.
સેતુબંધાસન : આ આસન કરવાથી શ્વાસ લેવાની પ્રક્રિયા સુધરે છે અને ફેફસાં ખુલે છે. અસ્થમાથી પીડિત લોકો માટે સેતુબંધાસનનો અભ્યાસ ફાયદાકારક છે. સેતુબંધાસનનો અભ્યાસ કરવા માટે, તમારી પીઠ પર સૂઈ જાઓ, તમારા પગ ખભા-પહોળાઈ સુધી અલગ રાખો અને તમારા ઘૂંટણ વાળો. હવે તમારા હથેળીઓ ખોલો અને તમારા હાથ સીધા જમીન પર રાખો. શ્વાસ લેતી વખતે, કમરના ભાગને ઉપરની તરફ ઉઠાવો. આ દરમિયાન, તમારા ખભા અને માથાને જમીન પર સપાટ રાખો. પછી શ્વાસ બહાર કાઢો અને પાછલી સ્થિતિમાં પાછા ફરો.
ભુજંગાસન : આ આસન શ્વાસ લેવાની ક્ષમતા વધારે છે અને ફેફસાંને મજબૂત બનાવે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ભુજંગાસનનો અભ્યાસ કરવા માટે, તમારા પેટ પર સૂઈ જાઓ, તમારા હથેળીઓને તમારા ખભા નીચે રાખો, અને શ્વાસ લેતી વખતે, તમારા શરીરના આગળના ભાગને ઉપરની તરફ ઉંચો કરો. આ સ્થિતિમાં ૧૦-૨૦ સેકન્ડ સુધી રહો, પછી શ્વાસ બહાર કાઢો અને સામાન્ય સ્થિતિમાં પાછા ફરો. આ કસરત નિયમિતપણે ૧૦-૧૫ વખત કરી શકાય છે.
અસ્થમના દર્દીઓ નિયમિત અને યોગ્ય રીતે યોગાસનો કરે તો તેમના ફેફસાંની શક્તિ વધે છે. યોગ શ્વસન માર્ગોને સાફ કરવામાં મદદ કરે છે. તણાવ અને ચિંતા ઘટાડે છે. યોગ શ્વાસ લેવાની તકનીકોમાં સુધારો કરે છે. યોગાસનો ઉપરાંત અસ્થમાન દર્દીઓએ શંખ વગાડવા, તેમજ બલૂન ફુલાવવાની પણ કસરત કરવી જોઈએ. આમ કરવાથી તેમના ફેંફસાની કાર્યક્ષમતા મજબૂત બને છે.
નોંધ: આ વિગતો વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે લખવામાં આવી છે, જો કે આ સંદર્ભે તજજ્ઞોની સલાહ લેવી પણ જરૂરી છે