ભારતીય હવામાન વિભાગે કરેલી ડીસેમ્બર મહિનાની આગાહી મુજબ ચાલુ વર્ષે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ રહેલી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જે પ્રકારે ઠંડી પડી રહી છે ટે મુજબ ડીસેમ્બરના પ્રથમ 15 દિવસમાં ઠંડીનું જોર વધુ રહ્યું છે.
જામ્યો શિયાળો અને તબિયત થઈ ઠૂસ્સ
સમગ્ર રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડીનો એહસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાં પણ શિયાળો જામ્યો છે અને હિમવર્ષા થઈ છે ત્યારે ઉત્તર ભારતના વિસ્તારો સહિત ઠંડીનો ચમકારો ગુજરાત સુધી પહોંચ્યો છે.ઠંડી આવતા જ લોકોની તબિયત ઉપરનીચે થઈ જાય છે. ખાસ કરી શરદી ઉધરસના કેસમાં ઉછાળો નોંધાય છે.
શરદી અને ઉધરસના કેસ 1000 ને પાર
રાજકોટમાં ઠંડીનો પારો 11 ડિગ્રી નોંધાયો છે. રાજકોટવાસીઓમાં શરદી ઉધરસ ના કેસો વધ્યા છે.રાજકોટ સિવિલમાં શરદી અને ઉધરસના કેસો 1000 ને પાર પહોંચી ગયા છે. તો ઠંડીને લીધે ગાળામાં ઇન્ફેકશન થવાથી તાવ આવવાના બનાવો પણ વધ્યા છે.તાવના 1905 દર્દી નોંધાયા છે.
ઝાડા ઉલટીના 1896 કેસ નોંધાયા
ઋતુ બદલાતા વાતાવરણની શરીરમાં પણ ઘણા ફેરફારો આવે છે. ત્યારે બદલાતી ઋતુમાં પેટના રોગો પણ શરૂઆતના સમયે બનવા પામી છે. શહેરમાં ઝાડા ઊલ્ટીના 1896 કેસો નોંધાય છે. આ આંકડો શરદી ઉધરસ ના 1000 કેસો કરતાં પણ વધુ હોવાથી પેટ માટે રાજ્કોટવાસીઓેએ આરોગ્ય બાબતે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે.
મચ્છરજન્ય રોગોના કેસોમાં પણ વધારો
શહેરમાં ડેન્ગ્યુના વધુ ૫ જેટલા કેસ સામે આવ્યા છે. તો મેલેરિયા અને ચિકનગુનિયાના કેસોમાં પણ વધારો થયો છે.મચ્છરજન્ય રોગો ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વધુ થતાં હોય છે. પરંતુ હાલમાં ઠંડીમાં પણ રાજકોટમાં તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોએ આરોગ્ય પ્રત્યે સભાન રહી ધ્યાન રાખવું જોઈએ.
શું કરવું જોઈએ ?
શિયાળામાં બીમારીઓ વધી જાય છે. શરદી ઉધરસ તથા તાવના કેસો વધે છે. ત્યારે શિયાળાની કાતીલ ઠંડીમાં બની શકે તેટલું બહાર નીકળવાનું ટાળવું જોઈએ. બહાર નીકળતી વખતે નાક કાન માથું અવશ્ય ઢંકાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તુલસી આદું મરી મધ વગેરેને મિક્સ કરીને લેવું જોઈએ તેમજ શીતોપલાદી મધુ સાથે લઈ શકાય છે. જે ગળા માટે લાભદાયી રહે છે. આમ આયુર્વેદિક તથા ઘરમાં જ રહેલ વસ્તુઓનો ઉપયોગ કરી શકે છે.