27.1 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27.1 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana News: વડનગરમાં બૌદ્ધિષ્ઠ મોનેસ્ટ્રી જોવા આવેલા પ્રવાસીઓને થયા કડવા અનુભવ

Mahesana News: વડનગરમાં બૌદ્ધિષ્ઠ મોનેસ્ટ્રી જોવા આવેલા પ્રવાસીઓને થયા કડવા અનુભવ


મહેસાણાના વડનગરમાં બૌદ્ધિષ્ઠ મોનેસ્ટ્રી જોવા આવેલા પ્રવાસીઓ સાથે અજીવ વ્યવહાર કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓ જ્યારે મોંનેસ્ટ્રી જોવા અંદર ગયા હતા ત્યારે બહારથી તાળુ મારી દેવામાં આવ્યુ હતુ. આ કડવા અનુભવ બાદ પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. પ્રવાસીઓને બહાર કાઢવા માટે સ્થાનિકો તેમની મદદે આવ્યા હતા. અને તાળું ખોલવામાં આવ્યુ હતુ. વડનગર તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. ત્યારે આવા અનુભવો પ્રવાસન વિભાગની ગંભીર બેદરકારી છતી કરી રહ્યા છે.

પ્રવાસીઓને થયો કડવો અનુભવ

વડનગરમાં બૌદ્ધિષ્ઠ મોનેસ્ટ્રી જોવા આવેલા પ્રવાસીઓ અંદર હોવા છતાં બહારથી તાળું મારી દેવામાં આવ્યુ હતુ. મોનેસ્ટ્રી જોવા ગયેલા પ્રવાસીઓને આ કડવો અનુભવો થયો હતો. અંદર પુરાઇ રહેલા પ્રવાસીઓએ બુમાબુમ કરતા સ્થાનિકો તેમની મદદ માટે આવ્યા હતા. અને તાળું તોડવા પ્રયાસ હાથ ધર્યા હતા. આ તાળું ખોલવા માટે બાદમાં સિક્યોરિટી ગાર્ડને શોધવામાં આવ્યો હતો. અને બાદમાં ગેટનું તાળું ખોલાવામાં આવ્યું હતુ.

આ રીતે થશે પ્રવાસનનો વિકાસ?

બહારથી આવેલા પ્રવાસીઓને વડનગરમાં કડવો અનુભવ થયો હતો. વડનગર એટલે પીએમ મોદીનું જન્મસ્થળ છે. જેની ચર્ચા દરેક સ્થળે થતી જોવા મળી છે. વડનગરમાં બૌદ્ધિષ્ઠ મોનેસ્ટ્રી જોવા આવેલા પ્રવાસીઓની આપવીતી એ પ્રવાસન વિભાગ અને અધિકારીઓના કામ પર સવાલ ઉભા કરે છે. પ્રવાસીઓ અંદર હોવા છતા કેવી રીતે બહારથી તાળું મારવામાં આવ્યુ. કોણે આ તાળું માર્યુ તે અંગે તપાસ કરવી જરુરી છે. જો આ જાતે રહીને કરવામાં આવ્યુ હોય તે કડક કાર્યવાહીને લાયક કૃત્ય છે. પ્રવાસીઓના આ કડવા અનુભવ વડનગરમાં પ્રવાસન વિભાગ માટે યોગ્ય નથી. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય