Covid 19 virus In India: કોરોના વાઇરસે વર્ષ 2019માં આખી દુનિયા પર અજગર ભરડો જમાવી દીધો હતો. તેનો પ્રભાવ ઘટતા ઘટતા વર્ષ 2023 આવી ગયું હતું, પરંતુ હવે બે વર્ષની શાંતિ બાદ કોરોના વાઇરસ ફરીથી ત્રાટક્યો છે. કેરળ, મુંબઈ સહિત ગુજરાતમાં પણ ધીમેથી દેખા દીધા પછી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. ફક્ત કોરોના જ નહીં, તમામ પ્રકારના વાઇરસ જીવંત ન હોવા છતાં જીવંત હોય એવા જીવોનો ભોગ લેવામાં ઉસ્તાદ હોય છે. તે પરિવર્તન પામે છે, યજમાન બદલે છે અને કોષોમાં વૃદ્ધિ પામતા રહે છે. ખતરનાક વાઇરસ કઈ રીતે સમયાંતરે પુનરાગમન કરે છે, એના કારણો સમજીએ.