Surat News : સુરતના અડાજણમાં રહેતા ઈન્ડિયન બેંકના આસિસ્ટન્ટ મેનેજરે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને જીનવ ટૂંકાવ્યું હોવાનું ઘટના સામે આવી છે. જ્યારે આપઘાત મામલે પરિવારના સભ્યોએ શંકા વ્યક્ત કરીને પોલીસને સમગ્ર મામલે તપાસ કરવાની માગ કરી. મોતને વ્હાલુ કરનારા શખસે આપઘાત પહેલા સ્યૂસાઈડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને યુવકના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને વધુ તપાસ હાથ ધરી.
આસિસ્ટન્ટ મેનેજરે કર્યો આપઘાત