કર્મચારીને ચા લેવા મોકલી પળવારમાં આત્મઘાતી પગલું
પારિવારીક કારણ જવાબદાર : પોલીસે તમામ પાસા તપાસવા હાથ ધરી તપાસ
ભુજ: શહેરના મહાવીરનગર ખાતે રહેતા સુથારીકામના કારીગરે જાતે ગળે ઈલેક્ટ્રિક કટર પોતાના ગળા ઉપર ફેરવી દઈને આપઘાત કર્યાનો આંચકારૂપ બનાવ બન્યો છે. એ ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પ્રાથમિક વિગતો ખુલી છે કે, ચેતનભાઈ જોટાણિયા નામના ૩૬ વર્ષના યુવકને પત્ની સાથે વિવાદ થયો હતો. બે દિવસ પહેલાં જ પત્ની પિયર જતી રહી હતી. રવિવારે સવારે સુથારી કામના કારખાના ઉપર કારીગરને ચા લેવા મોકલી ઈલેક્ટ્રિક કટરથી પોતાનું ગળું કાપી ચેતનભાઈએ અંતિમ પગલું ભરી લીધું હતું.