પેરાસિટામોલ આ દવાનું નામ તો બાળકોને પણ યાદ હોય. શરદી, તાવ કે માથાનો દુઃખાવો થાય ત્યારે ડોક્ટરને પૂછ્યા વિના જ લોકો આ દવા ખાઇ લે છે. પરંતુ હાલમાં જ એક સ્ટડીમાં સામે આવ્યુ કે પૈરાસિટામોલ વૃદ્ધોની કિડની અને હાર્ટ પર ખરાબ અસર કરે છે. એવામાં આવો જાણીએ આ દવા શરીરના કયાઅંગો પર ખરાબ અસર કરે છે અને તેનાથી બચવાનો શું છે ઉપાય.
પેરાસીટામોલ એક એવી દવા છે જે શરીરના દુખાવા અને તાવને મટાડે છે. મગજમાં તે રસાયણોની અસર ઘટાડે છે જે પીડા અને તાવનું કારણ બને છે. તે સામાન્ય રીતે હળવાથી મધ્યમ દુખાવો, તાવ, આધાશીશી અને સંધિવા જેવા રોગોમાં આપવામાં આવે છે. જો કે, તે મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ. આ દવા વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી લેવાથી શરીરના ઘણા મહત્વપૂર્ણ અંગોને નુકસાન થઈ શકે છે.
પાચન તંત્ર અને કિડની પર અસર
બ્રિટનની યુનિવર્સિટી ઓફ નોટિંગહામના સંશોધકોએ તેમના અભ્યાસમાં દર્શાવ્યું છે કે પેરાસિટામોલનો વધુ પડતો અથવા લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી પાચન તંત્ર અને કિડની પર વિપરીત અસર થઈ શકે છે. પેરાસિટામોલનું સેવન ખાસ કરીને વૃદ્ધો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી પેરાસિટામોલ લેવાથી
પેટમાં અલ્સર થવાની શક્યતા વધુ
આ દવા પેટના પટલને નુકસાન પહોંચાડે છે, જે પાચનની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ સિવાય આ દવા કિડની પર પણ અસર કરે છે. કિડની શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે, પરંતુ પેરાસિટામોલના સતત ઉપયોગથી કિડની પર દબાણ વધી શકે છે. વૃદ્ધોમાં કિડનીનું કાર્ય પહેલેથી જ નબળું છે, તેથી પેરાસિટામોલ લેવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
હૃદય પર પણ અસર કરે છે
અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પેરાસીટામોલની અસર માત્ર પાચન તંત્ર અને કિડની સુધી જ સીમિત નથી હોતી, પરંતુ તેની અસર હૃદય પર પણ પડે છે. વૃદ્ધોમાં પેરાસીટામોલનો સતત ઉપયોગ હૃદય રોગનું જોખમ વધારી શકે છે. તે બ્લડ પ્રેશરને પણ અસર કરી શકે છે, જે હૃદય પર વધુ દબાણ લાવે છે. આ દવા એવા લોકો માટે વધુ ખતરનાક બની શકે છે જેમને પહેલાથી જ હૃદયની સમસ્યા છે.
કેવી રીતે રક્ષણ કરવું?
- ડૉક્ટરની સલાહ વિના પેરાસિટામોલ ન લો.
- લાંબા સમય સુધી સતત પેરાસીટામોલ દવા લેવાનું ટાળો.
- જો દુખાવો અથવા તાવ ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લો.
- સ્વસ્થ આહાર અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવો, જેનાથી દવાઓની જરૂરિયાત ઓછી થશે.
DISCLAIMER: અહી આપેલા માહિતી અંગે સંદેશ ન્યૂઝ કોઇ પુષ્ટિ કરતું નથી અહીં આપવામાં આવેલી માહિતી જેતે સંસ્થા-યુનિવર્સિટીના કરવામાં આવેલા દાવાને આધારે રજૂ કરવામાં આવી છે. તેની સાથે સંદેશ ન્યૂઝ સહમત હોય તે જરૂરી નથી.