આજની વ્યસ્ત અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં સ્થૂળતા અને વજન વધવુ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ખોટી ખાવાની આદતો, વ્યાયામ ન કરવુ, અને તણાવથી પેટ પર ચર્બી જમા થઈ જાય છે. જેના કારણે આપણી સુદરતા જ નહીં, પણ ઘણી સ્વાસ્થયને લઈ સમસ્યાઓ પેદા થઈ શકે છે. પરંતુ ચિતા ન કરશો. ચાલવુ એ એક સરળ અને અસરકારક રીત છે, જેનાથી તમે ફક્ત વજન ઘટાડી શકો છો, પણ સ્થૂળતાને પણ નિયંત્રણમાં લાવી શકો છો. આજના સમયમાં લોકો પેટની ચર્બી વધવાથી ચિંતા કરે છે.
બહાર નીકળેલુ પેટ ન ફક્ત બિમારીયોનુ ઘર લાગે છે, પણ જોવામાં પણ ખૂબ જ ખરાબ દેખાઈ આવે છે. એવામાં વિચાર આવે કે પેટની ચર્બી કઈ રીતે ઓછી કરી શકાય. તે સવાલ દરેક વ્યકિતને થતો હોય છે. એવામાં નિયમિત રીતે ચાલવુ ખૂબ જ જરુરી બની રહે છે. આ વ્યાયામ તમે ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકો છો. તેવામાં જાણો કે પાતળા થવા માટે કેટલુ ચાલવુ જોઈએ અને ચાલવા માટે સાચી રીત કઈ
ચાલવુ આપણા સ્વાસ્થય માટે બહુ જ ફાયદાકારક છે. તે ફક્ત વજન ઓછુ કરવામાં મદદ કરે છે સાથે જ બીજા બધા ઘણા પ્રકારથી ફાયદા કરે છે.
- ચાલવાથી કેલરી ઓછી થાય છે, જેનાથી વજન ઘટે છે.
- ચાલવાથી પેટની ચર્બી ઓછી થાય છે. જેનાથી સ્થૂળતા ઓછી થાય છે.
- ચાલવાથી હૃદયના ધબકારા વધે છે, જેથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો આવે છે
- ચાલવાથી તમારા માંસપેશિયો મજબૂત બને છે.
- ચાલવાથી બ્લડ પ્રેશરમાં નિયંત્રણમાં રહે છે.
- ચાલવાથી હાડકા પણ મજબૂત થાય છે.
- ચાલવાથી ડાયાબિટિસને પણ નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
એક મહિનામાં ચાલીને વજન ઘટાડી શકાય
એક મહિનામાં જો પાતળુ થવુ હોય તો રોજ ઓછામાં ઓછા 10,000 પગલાં ચાલવુ જોઈએ. જે તમારા ફિટનેસ અનુસાર વધારી ઘટાડી શકો છો. જો તમે પહેલીવાર ચાલવાની શરુઆત કરી રહ્યા છો તો પહેલા દિવસે ઓછા પગલાથી શરુઆત કરવી ત્યારપછી જ ઘીમે ધીમે પગલા વધારવા 100,500 કે પછી ફિટનેસ અનુસાર વધારી ઘટાડી શકશો.
Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના સલાહકારની સલાહ લઈને જ તેનું અનુસરણ કરો. સંદેશ ન્યુઝ આ પ્રકારની કોઈ સલાહ કે સુચન આપતું નથી કોઈપણ પ્રકારની વસ્તુઓ નુસ્ખાઓ કે ટીપ્સને અનુસરતા પહેલા તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો.
Follow us on: