Healthy Sleep: આજના સમયમાં, ઘણા લોકો ઘણીવાર ઊંઘની સમસ્યાથી પીડાય છે, જે ઊંઘના અનિયમિત શેડ્યુલના કારણે છે. આનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે તણાવ અને ચિંતા. ઘણા લોકોને મોડે સુધી જાગવાની આદત પડી ગઈ હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે. જેના કારણે તેમને ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. તેથી, જો તમે પણ ઉજાગરા કરો છો, તો તમારે તેના સંભવિત જોખમો અને શરીર પર હાનિકારક અસરો વિશે જાગૃત રહેવું જોઈએ. તેમજ ઉજાગરા કરવાથી શરીરને આ નુકસાન થઇ શકે છે.