Surat News: સુરતના સરથાણામાં 27મી ડિસેમ્બરની વહેલી સવારે સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા સ્મિત જીયાણીએ માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા માર્યા હતા. જેમાં પત્ની અને પુત્રનું મૃત્યુ નિપજ્યું હતું. આ યુવકે પોતાના ગળાના ભાગે ચાકુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો છે. છેલ્લા ચાર દિવસથી સ્મિત જીયાણીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન પોલીસના ડરથી સ્મિતે ફરી ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે.