27 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, જૂન 16, 2025
27 C
Surat
સોમવાર, જૂન 16, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યMatcha Green Tea શું છે? જે દુનિયાભરમાં ટ્રેન્ડ કરી રહ્યું છે

Matcha Green Tea શું છે? જે દુનિયાભરમાં ટ્રેન્ડ કરી રહ્યું છે


માચા ગ્રીન ટીએ જાપાનમાં ઉદ્દભવી છે. માચા ગ્રીન ટી હાલ દુનિયાભરમાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. તેમજ આ ગ્રીન ટીની વધારે ચર્ચા સોશિયલ મીડિયામં થઈ રહી છે. આ ગ્રીન ટીની ક્રેઝ એટલો વધી ગયો છે કે લોકો તેનું સેવન ઉઠતાની સાથે જ કરે છે.

શું તમને ખબર છે કે આ માચા ગ્રીન ટીની જેટલા ફાયદા છે એટલી જ તેની આડઅસર પણ છે. જાણો માચા ગ્રીન ટી શું છે અને તેના ફાયદા અને આડઅસર વિશે જાણો.

માચા ગ્રીન ટીમાં શું હોય છે?

આમાં ચાના પાંદડા પીસીને પાવડર બનાવવામાં આવે છે. સામાન્ય ગ્રીન ટીમાં આપણે પાંદડા પાણીમાં પલાળીએ છીએ, પરંતુ માચામાં આખો પાંદડાને પીસીને તેનો પાવડર બનાવી નાખવામાં આવે છે.

પોષક તત્વોથી ભરપૂર માચા ગ્રીન ટી

  • એન્ટીઑકિસડન્ટોની ઉચ્ચ માત્રા હોય છે
  • વિટામિન્સ: એ, સી, ઇ, કે અને બી-કોમ્પ્લેક્સ
  • મિનરલ્સ: સેલેનિયમ, ક્રોમિયમ, ઝીક, મેગ્નેશિયમ
  • સામાન્ય ગ્રીન ટી કરતાં કેફીનનું પ્રમાણ વધુ હોય

શું છે માચા ગ્રીન ટીના ફાયદા?

  • મેટાબોલિઝમ વધારે છે- વજન ઘટાડવામાં મદદ કરે
  • ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે
  • શરીરને ડિટોક્સ કરે છે -ક્લોરોફિલની માત્રા વધારે હોય છે
  • કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખવામાં મદદ કરે
  • ઉર્જા અને ફોકસ વધારે છે

કેવી રીતે બનાવી માચા ગ્રીન ટી

  • માચા ગ્રીન ટી: ગરમ પાણીમાં પાવડર મિક્સ કરો, ફેંટીને પીવો.
  • માચા લાટ્ટે: દૂધ અને સુગર નાખીને પણ પી શકો છો
  • સ્મૂધી, કેક, આઈસ્ક્રીમ, ફેસ માસ્ક વગેરેમાં પણ વપરાય છે.

તેનાથી શું આડઅસરો થાય છે?

  • માચામાં કેફીન હોય છે, જે કેટલાક લોકોમાં ચિંતા, અથવા માથાનો દુખાવાનું કારણ બની શકે છે.
  • ખાલી પેટે માચા પીવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
  • માચામાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જે કેટલાક લોકોમાં પેટ ખરાબ થવું અને ઉબકાનું કારણ બની શકે છે.
  • કેટલાક લોકોને માચાથી એલર્જી હોઈ શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ખંજવાળ અથવા સ્કિન પર ફોલ્લીઓ પણ થઈ શકે છે.
  • વધુ પડતી માત્રામાં (દા.ત. દરરોજ 5-6 કપથી વધુ) તેનું સેવન લીવર પર અસર કરી શકે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય