21 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
21 C
Surat
ગુરુવાર, ફેબ્રુવારી 6, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરત પાલિકાની ગરજનો લાભ ઉઠાવનારને સ્થાયી સમિતિએ બતાવ્યો રસ્તો : માનદરવાજા...

સુરત પાલિકાની ગરજનો લાભ ઉઠાવનારને સ્થાયી સમિતિએ બતાવ્યો રસ્તો : માનદરવાજા રી-ડેવલપમેન્ટ માટે એજન્સીનું 191 કરોડનું ટેન્ડર દફતરે



Surat Corporation : સુરત પાલિકા માટે માથાનો દુખાવો બની ગયેલા માનદરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ વધુ એક વાર વિલંબમાં મુકાયો છે. અગાઉ 63 કરોડ જેટલું નેગેટિવ પ્રીમિયમ આવતા ટેન્ડર દફતરે કરીને નવા મંગાવાયા હતા. હાલમાં આવાસ ખાલી થઈ ગયા છે અને ડિમોલીશન પણ ચાલું છે ત્યારે પાલિકા પર રી-ડેવલપમેન્ટ માટે પ્રેશર છે તેથી પાલિકાની ગરજનો લાભ ઉઠાવનારને સ્થાયી સમિતિએ બહારનો રસ્તો બતાવ્યો છે, સ્થાયી સમિતિની બેઠકમાં માનદરવાજા ટેનામેન્ટ માટે દરખાસ્ત રજુ થઈ હતી, પરંતુ એજન્સીએ 191 કરોડનું નેગેટિવ પ્રિમિયમ ભરતા સ્થાયી સમિતિએ આ ટેન્ડર દફતરે કરીને નવેસરથી ટુંકી મુદતના ટેન્ડર બહાર પાડવા માટે સુચના આપી દીધી છે. સુરત પાલિકા વિસ્તારમાં આવેલી માનદરવાજા એ,બી અને સી ટાઇપ ટેનામેન્ટના બહુમતી ફ્લેટ ધારકોની રિ-ડેવલપમેન્ટ માટે સંમતિ આપી હતી. આ પ્રોજેક્ટ માટે 2017 થી સુરત મહાનગરપાલિકાએ ત્રણ વાર ટેન્ડરીંગ હાથ ધરવા છતાં આ પ્રોજેક્ટ આગળ વધતો નથી. પાલિકાએ ત્રીજો પ્રયાસ કર્યો હતો તેમાં બે ટેન્ડર આવ્યા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય