આજકાલ સ્વાસ્થ્યને લઈને લોકોમાં ઘણી જાગૃતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયાથી લઈને આજુ-બાજુ પણ ઘણા એવા ઘરેલુ ઉપચાર સાંભળવા મળે છે. એમાંથી એક આ છે કે રોજ સવારે ગરમ પાણી પીવાથી ઘણા ફાયદા મળે છે.
કહેવાય છે કે લીવર પણ સાફ થાય છે, અને શરીરને ડિટોક્સ કરે છે. ઘણા લોકો આ ઉપચારનો ઉપયોગ કરે છે. પરંતુ શું સાચે ગરમ પાણી પીવાથી લિવર સાફ થાય છે? જાણો
લિવર શું કામ કરે છે?
આપણા શરીરનો જરૂરી અંગ છે લિવર. તે આપણા શરીરના મેટાબોલિઝમને કંટ્રેલ કરવામાં અને બ્લડને સાફ કરે છે. તેમજ પાચનને સરળ બનાવે છે. લિવર જાતે જ શરીરના હાનિકારક ટોક્સિનને સાફ કરે છે. એટલા માટે લિવરને સાફ રાખવું ખૂબ જ જરૂરી છે. અને તેની કેર કરવી પણ જરૂરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગરમ પાણી લિવરને કંઈ જ ફાયદા થતા નથી. સાફ શબ્દોમાં કહીએ તો ગરમ પાણી લિવરને ડિટોક્સ નથી કરતું. પરંતુ ગરમ પાણી પીવાના ફાયદા તે છે જે નીચે મુજબ છે.
પાચનને સુધારે
ગરમ પાણી પીવાથી પાચન સરળ બને છે અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે.
મેટાબોલિઝમને વધારે છે
સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે.
ડિહાઈટ્રેશનથી બચાવે
ગરમ પાણી શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.
શું ગરમ પાણી પીવાથી લિવરને ફાયદો થાય?
નિષ્ણાંતોનું કહેવું છે કે, ગરમ પાણી પીવાથી લિવર પૂરી રીતે સાફ થતું નથી. ગરમ પાણી લિવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે પણ એનાથી લિવર સાફ નથી થતું. ગરમ પાણી ફક્ત શરીરના બીજા અંગોને સાફ કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યકિત એવું વિચારે છે કે ગરમ પાણી પીવાથી લિવર સાફ થશે તો તે ખોટું છે.
લીવર સ્વસ્થ રાખવા શું કરવું?
- લીલા શાકભાજી, ફળો, આખા અનાજ, કઠોળ અને ઓછી ચરબીવાળા ખોરાક ખાઓ.
- વધુ પડતું તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો: જંક ફૂડ લીવર પર વધારાનો ભાર નાખે છે.
- દારૂ એ લીવરનો સૌથી મોટો દુશ્મન છે.
- ધૂમ્રપાન કરવાથી લીવર પર ખરાબ અસર પડે છે.
- સ્થૂળતા પણ ફેટી લીવરનું એક મુખ્ય કારણ હોઈ શકે છે.
- દરરોજ 30 મિનિટ ચાલવાથી અથવા હળવી કસરત કરવાથી લીવરનું સ્વાસ્થ્ય સુધરે છે.
- દિવસભરમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો.
યોગ્ય માત્રા ગરમ પાણી પીવો
જો તમે ગરમ પાણી પીવા માગતા હો, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. સવારે ઉઠતાની સાથે જ 1-2 ગ્લાસ હુંફાળું પાણી પીવો. પાણી ખૂબ ગરમ ન હોવું જોઈએ જેથી જીભ કે ગળું બળી ન જાય. દિવસભર સમયસર પાણી પીતા રહો.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.