WhatsApp Delete Messages: વોટ્સએપમાં જેતે નવા ફીચર્સના ફાયદા જેટલાં છે, એટલાં જ એના ગેરફાયદા પણ છે. વોટ્સએપ દ્વારા મેસેજ ડિલીટ કરવાનું ફીચર આપવામાં આવ્યું છે, જે ડિલીટ કરનાર માટે સારું છે. જોકે, જેને મેસેજ કરવામાં આવ્યો છે, તેના માટે આ ફીચર ગેરફાયદાકારક છે કારણકે યુઝર શું મેસેજ કર્યો હતો એ જાણી શકાતું નથી. જોકે, આ મેસેજ ડિલીટ કર્યા બાદ પણ જાણી શકાય છે. એ માટે કેટલીક સેટિંગ્સ ફોલો કરવા પડે છે, જે ફક્ત એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ છે. આઇફોન યુઝર્સ એને ફોલો કરી શકશે નહીં.