આ દિવસોમાં હોસ્પિટલોમાં વાયરલ તાવ, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, ઝાડાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. વાયરલ ચેપના દર્દીઓની સંખ્યા પણ સારી એવી જોવા મળી રહી છે.
મોચી ઉંમરના લોકોની સાથે બાળકો પણ આ રોગોનો ઝડપથી શિકાર બની રહ્યા છે, જેના કારણે સ્ટ્રેસ વધી રહ્યો છે. ડોકટરો કહે છે કે ટાઇફોઇડ અને ડેન્ગ્યુનું સમયસર ટેસ્ટ કરાવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો તેનુી સારવાર વહેલી તકે ન થાય તો સમસ્યા વધી શકે છે. ક્યારેક ડેન્ગ્યુ જીવલેણ પણ બની શકે છે. વાયરલ તાવ, ટાઇફોઇડ, ડેન્ગ્યુથી કેવી રીતે બચવું અને રક્ષણ કેવી રીતે કરવું જાણો.
ડેન્ગ્યુના મચ્છરનું નામ શું?
એડીસ જેને વાઘ મચ્છર તરીકે પણ ઓળખવામાં આવે છે એ મૂળ ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળતા મચ્છરોની એક જાતિ છે, પરંતુ હવે તે એન્ટાર્કટિકા સિવાયના તમામ ખંડોમાં જોવા મળે છે. આ મચ્છર ખૂબ જ ખતરનાક હોય છે.
ડેન્ગ્યુ શું છે?
ડેન્ગ્યુ એક વાયરલ રોગ છે જે મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુ વાયરસ DENV રોગથી થાય છે, જેમાંથી ચાર પ્રકાર છે, DENV-1 થી DENV-4. ડેન્ગ્યુ ફેલાવતો મચ્છર એડીસ એજીપ્ટી છે, જે સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે છે. ડેન્ગ્યુ મોટાભાગે ગરમ અને ભેજવાળી જગ્યાએ થાય છે. આ સમય દરમિયાન વરસાદી પાણી એકઠું થાય છે, જે મચ્છરોના પ્રજનન માટે ઉત્તમ છે તેથી આ ઋતુમાં ડેન્ગ્યુનું જોખમ વધી જાય છે.
ડેન્ગ્યુના લક્ષણો
ડેન્ગયુના લક્ષણો તરત જ દેખાતા નથી તે મચ્છર કરડ્યાના 4 થી 10 દિવસ પછી દેખાય છે અને તે લક્ષણો હળવા અને ગંભીર પણ હોય શકે છે. તેમજ બીમારી ઘણીવાર 2 થી 7 દિવસ સુધી રહે છે.
ડેન્ગ્યુના લક્ષણોમાં ખૂબ જ તાવ (104°F અથવા 40°C સુધી), માથાનો દુખાવો, આંખો પાછળ દુખાવો, સ્નાયુઓ અને સાંધામાં દુખાવો, ઉલટી, શરીર પર લાલ ફોલ્લીઓ, અતિશય થાક, ગળા પર અથવા શરીરમાં સોજો થઈ શકે છે. જો તમને આ લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો કારણ કે સમયસર સારવાર ન કરવામાં આવે તો ડેન્ગ્યુ ખતરનાક બની શકે છે.
ચોમાસામાં ડેન્ગ્યુથી બચવાના સરળ ઉપાયો
ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર વરસાદની ઋતુમાં ખૂબ જ એક્ટિવ થઈ જાય છે. પરંતુ કેટલાક સરળ પગલાંને ફોલો કરી, તમે અને તમારો પરિવાર સુરક્ષિત રહી શકો છો.
એકઠું થયેલું પાણી દૂર કરો: ડોલ, વાસણ, કુલર, જૂના ટાયર વગેરે સ્થળોએ પાણી એકઠું થવા ન દો. મચ્છર આવા પાણીમાં ઇંડા મૂકે છે.
મચ્છરદાનીનો ઉપયોગ કરો: બારીઓ અને દરવાજા પર મચ્છરદાની અથવા જાળી લગાવો, જેથી મચ્છર ઘરમાં આવી ના શકે.
તમારા આખા શરીરને ઢાંકો: સવાર અને સાંજના સમયે આખી બાંયનો શર્ટ અને લાંબું પેન્ટ પહેરો. તે સમયે મચ્છર સૌથી વધુ કરડે છે.
દરરોજ પાણી બદલવું છે જરૂરી: ફૂલોના કુંડા, પક્ષીઓના ખોરાક માટે કે પાલતુ પ્રાણીઓના પાણી માટેનાં કુંડામાં દર બીજા દિવસે પાણી બદલો.
સ્વચ્છતા જાળવી રાખો: વરસાદ પછી તમારી આજુબાજુના વિસ્તારને સ્વચ્છ રાખો, કારણ કે એડીસ મચ્છર ફક્ત સ્વચ્છ અને સ્થિર પાણીમાં જ પ્રજનન કરે છે.