આપણા શરીરમાં દરેક અંગો જરૂરી છે તેમજ લીવર પણ જરૂરી અંગ છે તે તમારા શરીરના પાચનથી લઈને ડિટોક્સિફિકેશન જેવા 500થી વધારે કામ કરે છે. જેમાં શરીરથી નીકળતું પિત અને બ્લડને સાફ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
જો કે મોર્ડન લાઈફસ્ટાઈલ અને ખરાબ ડાયટ અને વધારે દારૂ પીવાના કારણે ફી લીવર, હેપેટાઈટિસ અને સિરોસિસ જેવી બીમારીઓ તેજીથી વધી રહી છે.
લીવર ખરાબ થાવાના લક્ષણો
લીવરની બીમારીને સાઈલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે, કારણ કે શરૂઆતથી તેના લક્ષણ ઘણા હલકાં હોય છે, જેને લોકો ઈગ્નોર કરી દે છે. લીવરના રોગના શરૂઆતી લક્ષણોને ઓળખવામાં મુશેક્લી થઈ શકે છે, કારણ કે સામાન્ય થાક અને પેટની તકલીફ જેવા દેખાય છે.
થાક અને નબળાઈ અનુભવી
લીવર ખરાબ થવાની શરૂઆતી લક્ષણો સતત થાક લાગવો અને નબળાઈ થઈ શકે છે. લીવર સરખી રીતે કામ કરું નથી અને શરીરમાં ટોક્સિન્સ જમા થવા લાગે છે. તેનાથી વધારે થાક લાગે છે.
કમળો
સ્કિન અને આંખો પીળી પડવી એ કમળો કહેવાય છે. આ લીવરને નુકસાનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે. જ્યારે લીવર બિલીરૂબિન (એક પ્રકારનો પીળો પદાર્થ) યોગ્ય રીતે પ્રોસેસ ના થાય ત્યારે તે લોહીમાં જમા થઈ જાય છે. કમળો ઘણીવાર હેપેટાઇટિસ અથવા સિરોસિસનું લક્ષણ હોઈ શકે છે.
પેટમાં દુખાવો અને ભારેપણું
પેટના ઉપરના જમણા ભાગમાં દુખાવો અથવા ભારેપણું લીવરની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આ દુખાવો લીવરમાં બળતરા અથવા ચરબીના સંચયને કારણે થઈ શકે છે. તેમજ તે લક્ષણો ફેટી લીવર અથવા હેપેટાઇટિસના શરૂઆતમાં દેખાઈ શકે છે.
ઉબકા અને ઉલટી
જ્યારે લીવરને નુકસાન થાય છે, ત્યારે શરીરમાંથી ઝેરી તત્વો સંપૂર્ણપણે દૂર થતા નથી, જેના કારણે વારંવાર ઉબકા અને ઉલટી થઈ શકે છે. આ લક્ષણ ખાસ કરીને રાત્રે વધુ જોવા મળે છે. જો રાત્રે વારંવાર ઉબકા આવવાની સમસ્યા હોય, તો તે લીવરને નુકસાન થવાનું સંકેત હોઈ શકે છે.
સ્કિનમાં ખંજવાળ
જ્યારે યકૃતમાં પિત્ત ક્ષારનું લેવલ વધે છે ત્યારે સ્કિનમાં ખંજવાળ આવી શકે છે. આ ખંજવાળ રાત્રે વધુ હોય છે, જે કમળો, શરૂઆતી પિત્તરસ સંબંધી સિરોસિસ અથવા પિત્ત નળીમાં અવરોધનો સંકેત હોઈ શકે છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.