27.7 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
27.7 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યHealth: રોજ અંજીરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય કે નુકસાન?

Health: રોજ અંજીરનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય કે નુકસાન?


અંજીરને સુપરફૂડ કહેવામાં આવે છે. રોજ તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. અંજીરમાં પોષક તત્વો હોય છે. અંજીરનું સેવન કરવાથી તમે આખો દિવસ ફ્રેશ ફીલ કરો છો. અંજીરમાં લગભગ બધા જ વિટામિન અને મિનરલ્સ હોય છે.

અંજીરમાં ફાઈબરની માત્રા પણ વધારે હોય છે. તેમજ ઘણા લોકો અંજીરનું સેવન રોજ કરતા હોય છે પણ હવે સવાલ એમ થાય છે કે તે સ્વાસ્થ્ય માટે સારું છે તો શું તેનું રોજ સેવન કરવું જોઈએ?

વજન ઓછું કરવામાં મદદરૂપ

અંજીર વજન ઓછું કરવામાં મદદ કરે છે કારણ કે તેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તે તમારા પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે, અને ભૂખને મટાડે છે.

કબજિયાત માટે ફાયદાકારક

જેને પણ કબજિયાતની તકલીફ હોય તેમને અંજીરનું સેવન કરવું જોઈએ. તેનાથી કબજિયાતની સમસ્યામાંથી રાહત મળે છે. રાતને સમયે દૂધ સાથે અંજીરને મિક્સ કરીને ખાવાથી ફાયદો મળે છે.

બ્લડ પ્રેશરને ઓછું કરે છે

અંજીર તમારા શરીરની અંદર વધતા બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે. જે તમને બ્લડ પ્રેશરની તકલીફ હોય તો તમે અંજીરનું સેવન કરી શકો છો. તેમજ તેની સાથે સાથે તે તમારા શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને પણ લેવલમાં રાખવામાં મદદ કરે છે એટલે તમે રોજ અંજીર ખાઈ શકો છો.

અંજીરમાં ફાઈબર, આયરન, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે પાચન સ્વાસ્થ્યને સરળ બનાવે છે. લોહીમાં હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. અંજીર પાચનને સુધારે છે અને સ્કિનને હેલ્ધી રાખે છે. સૂકા અંજીરને આખી રાત પલાળી રાખો અને સવારે તેનું સેવન કરવું તે વધારે ફાયદો આપે છે. તેથી અંજીરનું રોજ સેવન કરી શકો છો. 

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય