ખોરાકનું પાચન આંતરડામાં થાય છે. પરંતુ કેટલાક ખોરાક એવા છે જે આંતરડામાં ઝેરી તત્વો ભરવાનું કામ કરે છે. જેના કારણે પાચનતંત્ર ઠપ થઈ જાય છે અને શરીરમાં ઘણી સમસ્યાઓ દેખાવા લાગે છે.
પ્રોસેસ્ડ ફૂડ્સ
પ્રોસેસ્ડ ફૂડ, જેમ કે પેકેજ્ડ નાસ્તા, ફાસ્ટ ફૂડ અને તૈયાર ખોરાક, ઘણીવાર વધુ પડતા સોડિયમ, ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીથી ભરેલા હોય છે. આનાથી પેટનું ફૂલવું, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ખોરાકમાં ફાઇબરની માત્રા ઓછી હોય છે, જે પાચન માટે ફાઈબર હોવું જરૂરી છે.
આર્ટિફિશિયલ સ્વીટનર્સ
વધુ પડતી ખાંડ સ્વાસ્થ્ય માટે ઝેર છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ગળપણ ધરાવતા ખોરાક અને પીણાં પાચનક્રિયાને બગાડે છે. આનાથી આંતરડામાં બેક્ટેરિયાનું અસંતુલન થઈ શકે છે, જેના કારણે પાચન સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટનું ફૂલવું અને ઝાડા થવા એવી બીમારીઓ થઈ શકે છે.
ડીપ ફ્રાઇડ ફૂડ્સ
ફ્રેન્ચ ફ્રાઈસ, પકોડા અને ચિપ્સ જેવા ડીપ ફ્રાઈડ ક્રિસ્પી ખોરાક પાચનતંત્રને નબળું પાડે છે. આ ખોરાકમાં ઘણી બધી ચરબી હોય છે, જે પાચનતંત્ર પર દબાણ લાવે છે. આનાથી પેટમાં બળતરા, ગેસ અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
પ્રોટીન બાર્સ અને શેક્સ
પ્રોટીનનું સેવન વધારવા માટે લોકો આજકાલ કુદરતી ખોરાકને બદલે પ્રોટીન બાર અને શેકનું સેવન કરી રહ્યા છે. પરંતુ તેઓ ખરેખર એટલા સ્વસ્થ નથી. વધુ પડતા પ્રોટીન બાર અને શેક આંતરડા સંબંધિત સમસ્યાઓ માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે તે પ્રોસેસ્ડ અને આર્ટિફિશિયલ સ્વીટનર્સમાંથી તૈયાર કરવામાં આવે છે.
આલ્કોહોલ
આલ્કોહોલ ફક્ત તમારા લીવરને જ નહીં પણ તમારા પાચનતંત્રને પણ નુકસાન પહોંચાડે છે. આલ્કોહોલ આંતરડામાં પહોંચે છે, સારા બેક્ટેરિયાને મારી નાખે છે અને આંતરડાના માઇક્રોબાયોમને ખલેલ પહોંચાડે છે. જેના કારણે આંતરડામાં બળતરા થઈ શકે છે.