શું તમે પણ કારણો વગર નિરાશ થઈ જાઓ છો. તેમજ સ્વભાવ ચિડયો થઈ જાય છે અને શરીર થાકેલું જ રહે છે? કોઈ પણ કામ કરવાનું મન નથી લીગતું અને જીવનામાં બધું અધુરું લાગે છે? તો આ લક્ષણો સ્ટ્રેસ કે પછી કામના પ્રેશરથી તેવું કહીને તમે તેણે અવગણી દો છો પરંતુ આવું ના કરવું જોઈએ કારણ કેતેના પાછળનું એક કારણ વિટામિનની ઉણપ પણ છે.
ઈમોશનલ ઉતાર-ચઢાવ અને ડિપ્રેશનનું કારણ ફક્ત માનસિક સમસ્યાઓ હોતી નથી, તેનું કારણ શરીરમાં રહેલી પોષણની ઉણપ, ખાસકરીને વિટામિનની ઉણપ પણ તેનું એક મોટું કારણ છે. જાણો કે કયા વિટામિનની ઉણપથી ડિપ્રેશનની સમસ્યા થઈ શકે છે અને તેને કેવી રીતે મટાડવી જોઈએ.
વિટામિન D
વિટામિન Dની ઉણપ આજના સમયમાં તે નોર્મલ સમસ્યા થઈ ગઈ છે, ખાસકરીને શહેરની લાઈફસ્ટાઈલના કારણે આ વિટામિન ફક્ત હાડકાઓમાં જ નહી પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.
ઉણપના લક્ષણો: સતત થાક લાગવો, નિરાશા થવી, ડિપ્રેશન જેવો અનુભવ થવો
વિટામિન B12
વિટામિન B12 નર્વસ સિસ્ટમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમાં મૂડ સ્વિંગ, ફોકસની ઉણપ થાય છે. તેમજ શરીર થાકેલું રહે છે.
આ વિટામિન્સની ઉણપ કેવી રીતે દૂર કરવી?
- વિટામિન-ડીની ઉણપને દૂર કરવા માટે, રોજ 20 મિનિટ માટે સવારે સૂર્યસ્નાન કરો.
- તમારા આહારમાં ફળો, લીલા શાકભાજીનો સમાવેશ કરો.
વિટામિન B 12
દહીં, દૂધ, ચીઝ અને ફોર્ટિફાઇડ વસ્તુઓનું સેવન કરો
ડૉક્ટરની સલાહ ક્યારે લેવી?
જો તમે જીવનમાં સતત ઉદાસી, ચિંતા, ઊંઘની સમસ્યા અથવા નિરાશા અનુભવી રહ્યા છો, તો પોષણની સાથે, માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લેવી પણ મહત્વપૂર્ણ છે.
ડિપ્રેશન એ ફક્ત માનસિક સ્થિતિ નથી, પરંતુ ક્યારેક તે આપણા શરીરમાં આંતરિક પોષણની ઉણપનું પણ સંકેત છે. વિટામિન D, B12 અને ફોલેટની ઉણપ આપણા મૂડ અને વિચારવાની ક્ષમતા પર ઊંડી અસર કરી શકે છે. યોગ્ય ખોરાક લઈને, સૂર્યપ્રકાશ મેળવીને અને સમયસર ચેકઅપ કરાવીને આપણે આપણું માનસિક સ્વાસ્થ્ય સુધારી શકીએ છીએ. કારણ કે સ્વસ્થ મન એ સુખી જીવનની ચાવી છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.