આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ઘણા જાગૃત થયા છે. વજન અને ફેટને નિયંત્રણ કરવા માટે ખાવા-પીવા પર ધ્યાન આપી રહ્યા છે. એવામાં લોકો સુગર ફ્રી ડ્રિંક અને ડાયટ સોડા પીવાનું વધારે પસંદ કરે છે. હવે તે પીવાથી એમ થાય છે શરીરમાં ફેટ વધતું નથી અને ડાયાબિટીસની બીમારીનું રિસ્ક પણ ઓછું રહે છે. પરંતુ શું આ ડ્રિંક ખરેખર ફાયદાકારક છે? એક રિસર્ચમાં સામે આવ્યું છે કે આ ડ્રિંક પીવાથી લિવરને નુકાસાન થઈ શકે છે.
રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે, સુગર ફ્રી ડ્રિંકમાં Sucralose હોય છે. જો કોઈ વ્યકિત તેને પીવે છે તો તેના મગજમાં તે ભૂખના ન્યૂરોકેમિકલને એક્ટિવ કરે છે. એનાથી શરીર પોતાને ભૂખ્યો માનવા લાગે છે, ભલે તમે ખાવાનું ખાધું હોય. એવામાં ભૂખ વધે છે અને વધારે ખાવાની આદત લાગી જાય છે, તેનાથી શરીરમાં કેલેરી જમા થાય છે અને મોટાપો વધે છે. તેના લીધે શરીરમાં ધીરે-ધીરે લીવરમાં ફેટ જમા થાય છે. જેનાથી Non-Alcoholic Fatty Liver Diseaseનું જોખમ વધે છે.
રિસર્ચનું શું કહેવું છે?
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સુગર ફ્રી ડ્રિંક, ડાયેટ કોલા, સુગર ફ્રી ચા-કોફી પ્રીમિક્સ, ઝીરો કેલરી જ્યુસમાં સુક્રાલોઝ હોય છે. આ બધી વસ્તુઓ ફેટી લીવરનું જોખમ વધારી શકે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે સુગર ફ્રી ડ્રિંકનો વધુ પડતો ઉપયોગ શરીરના ચયાપચયને અસર કરે છે, જે ફેટી લીવરનું જોખમ પણ વધારી શકે છે.રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો સુગર ફ્રી ડ્રિંકનો ઉપયોગ કરે છે તેમનામાં લીવરમાં બળતરા, ફાઇબ્રોસિસ અને ગ્લુકોઝ ચયાપચયમાં ખલેલના લક્ષણો વધુ જોવા મળે છે.
સુગર ફ્રી ડ્રિંક કેવી રીતે નુકસાન પહોંચાડે છે?
સુગર ફ્રી ડ્રિંકમાં કેટલાક પ્રકારના કૃત્રિમ સ્વીટનર્સ પણ ઉમેરવામાં આવે છે, જે ઇન્સ્યુલિનના સ્તરને ખલેલ પહોંચાડી શકે છે. સુગર ફ્રી ડ્રિંક આંતરડામાં હાજર સારા બેક્ટેરિયાને નુકસાન પહોંચાડી શકે છે, જે લીવર અને પાચનને અસર કરી શકે છે. સુગર ફ્રી ડ્રિંક ઘણીવાર ભૂખ વધારે છે, જેના કારણે લોકો વધુ કેલરી ખાય છે. આનાથી વજન વધી શકે છે અને ફેટી લીવરની સમસ્યા થઈ શકે છે. કેટલાક સુગર ફ્રી ડ્રિંકમાં છુપાયેલા કાર્બોહાઇડ્રેટ્સ, પ્રિઝર્વેટિવ્સ અને અન્ય તત્વો પણ લીવરને નુકસાન પહોંચાડી શકે છે.
શું સુગર ફ્રી ડ્રિંક સંપૂર્ણપણે ટાળવા જોઈએ?
રિસર્ચ મુજબ, ક્યારેક ક્યારેક અથવા મર્યાદિત માત્રામાં સુગર ફ્રી ડ્રિંક લેવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેનો નિયમિત અને વધુ પડતો ઉપયોગ ફેટી લીવરનું જોખમ વધારી શકે છે. જો વજન અથવા લીવરની સમસ્યા હોય, તો સ્ટીવિયા અથવા ગોળ/મધ જેવા કુદરતી વિકલ્પો ઓછી માત્રામાં લો. ભૂખ વધે ત્યારે વારંવાર ન ખાઓ, તમારા પેટને હાઇડ્રેશન, ફાઇબર અને પ્રોટીનથી ભરો.
આ વાતો પણ ધ્યાનમાં રાખો
- સુગર ફ્રી ડ્રિંકને સાદા પાણી, નાળિયેર પાણી, લીંબુ પાણી, હર્બલ ચા અથવા સુગર ફ્રી કુદરતી ડ્રિંકથી બદલી શકાય છે.
- તાજો ખોરાક ખાઓ અને તમારા આહારમાં બધી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરો.
- નિયમિત કસરત કરીને અને વજન નિયંત્રિત કરીને ફેટી લીવરનું જોખમ ઘટાડી શકાય છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી.