– વરતેજ પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો
– મેજર અને તેમના પત્ની પોતાનું મકાન બંધ કરી સારવાર માટે ધંધુકા ગયા હતા
ભાવનગર: ભાવનગર શહેરના વરતેજ નજીક આવેલ ખોડીયાર નગરમાં રહેતા નિવૃત્ત મેજરના બંધ મકાનના તાળા તોડી કોઈ અજાણ્યા શખ્સો સોના ચાંદીના ઘરેણા મળી લાખોની રકમની ચોરી કરી નાસી છૂટયા હતા.
સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૮૦ લાખથી વધુની રકમનો દલ્લો ચોરાયો
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના નારી ચોકડીથી આગળ નાની ખોડિયાર મંદિર પાછળ આવેલ ખોડીયાર નગરમાં પ્લોટનં ૪૫માં છેલ્લા પાંચ વર્ષથી રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવી નિવૃતિ જીવન પસાર કરતા મેજર સેમ્યુઅલ સુંદરજી તથા તેમના પત્ની બીનાબેન સાથે રહે છે.