– પિતાએ ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
– સાળાના લગ્નમાંથી પરત આવતા ભાવનગરના યુવાનને રસ્તામાં મોત મળ્યું
ભાવનગર : શહેરના ખેડૂતવાસ ખાતે રહેતો યુવાન સાળા ના લગ્નમાંથી પરત ભાવનગર તરફ આવતી વેળાએ કાળા તળાવ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસમાં આવેલ શ્રમજીવી સોસાયટી ખાતે રહેતા નીરજભાઈ ઉર્ફે નિલેશભાઈ અરવિંદભાઈ જાંબુચા ( ઉ.વ ૨૭ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઇડી ૫૩૦૭ લઈને કાળાતળાવ સાળાના લગ્નમાં સાસરે ગયા હતા.