27.4 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, જુલાઇ 2, 2025
27.4 C
Surat
બુધવાર, જુલાઇ 2, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યGhee સાથે આ વસ્તુઓ ના ખાઓ, સ્વાસ્થ્ય કરી શકે છે નુકસાન

Ghee સાથે આ વસ્તુઓ ના ખાઓ, સ્વાસ્થ્ય કરી શકે છે નુકસાન


ઘીમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ કેટલીક વસ્તુઓ સાથે ઘીનું મિશ્રણ આપણા માટે નુકસાનકારક હોઈ શકે છે. તો ચાલો જાણીએ કે ઘી સાથે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ.

ઘી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સ્વસ્થ હોય છે. ઘીમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આપણે ઘણીવાર ઘી દાળ, રોટલી, ખીચડી કે ભાતમાં ઉમેરીને ખાઈએ છીએ અથવા તેમાંથી બનાવેલી વાનગીઓ ખાઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે ભૂલથી પણ ઘી કેટલીક વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ. તે તમને ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડી શકે છે. જાણો કે કઈ વસ્તુઓ સાથે ઘી ન ખાવું જોઈએ.

મધ

ઘી અને મધ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે પરંતુ આપણા આયુર્વેદમાં બંનેને એકસાથે લેવા પર સખત પ્રતિબંધ છે. બંનેનું એકસાથે સેવન કરવાથી શરીરમાં ઝેરી તત્વો ઉત્પન્ન થાય છે જે આપણા પાચનતંત્રને અસર કરે છે. બંનેને તમારા આહારમાં સામેલ કરો પરંતુ અલગ અલગ સમયે.

ચા કે કોફી

ઘણા લોકો ચા અને કોફીમાં ધી નાખીને પીતા હોય છે. પરંતુ, ચા અને કોફીમાં ઘી ભેળવીને ક્યારેય ન પીવું જોઈએ. તે આપણા પાચનતંત્રને અસર કરે છે. આના કારણે એસિડિટી કે પેટનું ફૂલવું જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.

દહીં

ઘી અને દહીં બંને દૂધમાંથી બને છે પણ બંને એકસાથે ન લેવા જોઈએ. બંને એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. ઘીને ગરમ અને તેલયુક્ત માનવામાં આવે છે, જ્યારે દહીંને ઠંડુ અને ભારે માનવામાં આવે છે. બંનેને એકસાથે ખાવાથી પાચનક્રિયા ધીમી પડી શકે છે અને ચયાપચયનની પ્રક્રિયાને ધીમી પાડી શકે છે.

મૂળા

મૂળા અને ઘીનું મિશ્રણ પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. મૂળા તીખા અને ગરમ હોય છે, જેના કારણે તેને ઘી સાથે ખાવાથી પેટમાં ગેસ અથવા પેટનું ફૂલવું થઈ શકે છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. કોઈપણ ઉપચાર કરતાં પહેલા નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય