વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના 31 સ્મશાન ગૃહોને 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગથી સંચાલન સંસ્થાઓને સોંપવા માંગે છે. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા કહે છે કેસ્મશાનગૃહોમાં કામગીરી તો કોર્પોરેશનનો કર્મચારી જ કરતો હોવો જોઈએ. સયાજીરાવ ગાયકવાડના વખતથી સ્મશાન ગૃહોમાં મફત લાકડા અને છાણા આપવામાં આવતા હતા. કોર્પોરેશને પણ અંતિમ ક્રિયા માટે લાકડા મફત આપવા જોઈએ.