– ચોમેર મંદીના માહોલ વચ્ચે નામી કારખાનેદારે ઠગાઈ આચરી
– સારા વળતરની લાલચ આપી કારખાનેદારે ઉધાર માલ મેળવ્યો, બાદમાં ઓફિસ,કારખાનું અને ઘર બંધ કરી પોબારા ભણી ગયો : કારખાને દાર વિરૂદ્ધ ઠગાઈની બે ફરિયાદ નોંધાઈ
ભાવનગર : હીરાબજારમાં ચોમેર મંદીના માહોલ વચ્ચે શહેરના બોરતળાવમાં હીરાનું કારખાનું ચલાવતાં નામી કારખાનેદારે અલગ-અલગ ત્રણ વેપારી પાસેથી રૂા.૬૨.૭૮ લાખના હીરા લઈ નાણાં ન ચૂકવી પોતાની ઓફિસ,કારખાનું અને ઘર બંધ હવામાં ઓગળી ગયો હતો. જો કે, ભારે શોધખોળ બાદ પણ કારખાનેદાર ન મળી આવતાં હીરા આપનાર વેપારીઆએ કારખાનેદાર વિરૂદ્ધ છેતરપિંડી આચર્યાની બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.