23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યજો જો ક્યાંક તમે પણ દુષિત પાણી તો નથી પી રહ્યા ને?

જો જો ક્યાંક તમે પણ દુષિત પાણી તો નથી પી રહ્યા ને?

સુરતમાં પીવાના પાણીમાં ભેળસેળનું મોટું કૌભાંડ: 14માંથી 9 મિનરલ વોટરના નમૂના ફેલ!

Closeup on mineral water green bottles in raw and lines

સુરત: ‘જળ એ જ જીવન છે’ એ સૂત્રને સુરતના કેટલાક ભેળસેળિયા તત્વોએ જાણે કે પડકાર ફેંક્યો હોય તેમ લાગે છે. સુરતમાં વેચાતા મિનરલ વોટરના જાર અને બોટલોમાં મોટા પ્રમાણમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 11 મહિનામાં લેવાયેલા 14 નમૂનાઓમાંથી ચોંકાવનારા 9 નમૂનાઓ લેબોરેટરી તપાસમાં ફેલ થયા છે, જે સુરત શહેરના લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો કરે છે.

શું છે સમગ્ર મામલો?

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાદ્ય વિભાગે આ વર્ષે નવેમ્બર સુધીમાં વિવિધ વિસ્તારોમાંથી મિનરલ વોટરની બોટલો અને જારના કુલ 14 નમૂના લીધા હતા. લેબોરેટરીમાં આ નમૂનાઓની તપાસ કરવામાં આવતા 9 નમૂનાઓ એટલે કે 65% નમૂનાઓ નિષ્ફળ સાબિત થયા હતા. આ પરિણામોએ તંત્રની ઉંઘ હરામ કરી દીધી છે અને લોકોમાં પણ ભારે ચિંતાનું મોજું ફેલાયું છે.

લેબોરેટરી તપાસમાં શું આવ્યું સામે?

તપાસમાં જાણવા મળ્યું કે આ નમૂનાઓમાં જરૂરી મિનરલ્સની માત્રા ખૂબ ઓછી હતી, જ્યારે પાણીનું pH મૂલ્ય પણ સામાન્ય કરતાં ઓછું હતું. આ ઉપરાંત, ક્લોરાઇડ અને હાર્ડનેસનું સ્તર પણ નિર્ધારિત મર્યાદા કરતાં ઘણું વધારે જોવા મળ્યું હતું. આવું એસિડિક પાણી સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે, જેનાથી એસિડિટી, ગેસ્ટ્રાઇટિસ, અલ્સર, દાંતની સમસ્યાઓ, ઓસ્ટિયોપોરોસિસ, મેટાબોલિક સમસ્યાઓ, સ્નાયુઓની નબળાઈ અને થાક જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.

કઈ કંપનીઓના નમૂના થયા ફેલ?

  • કષ્ટભંજન એન્ટરપ્રાઇઝિસ
  • એચ. એન. ટ્રેડર્સ
  • વરૂણ એન્ટરપ્રાઇઝિસ
  • ફ્રેશ સ્ટ્રીમ બેવરેજેસ
  • રાઠોડ બ્રધર્સ
  • બ્રીથ બેવરેજેસ
  • પી.એમ. માર્કેટિંગ
  • નિરાલી બેવરેજેસ એન્ડ ફૂડ
  • ગજાનંદ ફૂડ એન્ડ બેવરેજેસ

લોકો માટે ચેતવણી:

આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ લોકોએ પણ પોતાની રીતે સાવચેત રહેવાની જરૂર છે. બોટલબંધ પાણી કે જારનું પાણી ખરીદતા પહેલા તેની ગુણવત્તા અને ઉત્પાદક વિશે ખાતરી કરવી જરૂરી છે. સુરતમાં મિનરલ વોટરના નામે ચાલતું આ ભેળસેળનું કૌભાંડ અત્યંત ગંભીર છે અને લોકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે. તંત્રએ આ બાબતે તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ, જેથી લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય