Chandrayan 4 Will Launch In 2027: ભારત પોતાનું ચંદ્રયાન-4 મિશન વર્ષ 2027માં લોન્ચ કરશે. આ અંગે સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી. આ મિશનનો ઉદ્દેશ ચંદ્રની સપાટી પર સ્થિત ખડકોના નમૂનાઓ એકત્ર કરી પૃથ્વી પર લાવવાનો છે. ચંદ્રયાન-4 મિશન હેઠળ બે હેવીલિફ્ટ એલવીએમ-3 રોકેટ લોન્ચ કરાશે. જે ઓરબીટમાં એસેમ્બલ કરવા માટે મિશનના વિવિધ પાંચ કોમ્પોનન્ટ્સ લઈ જશે.