Bangalore IIM : કર્ણાટકના બેંગ્લોર સ્થિત આઈ.આઈ.એેમમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા સુરતના કોલેજીયન યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજતાં ચકચાર મચી જવા પામી હતી. સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સુરતમાં રહેતો 29 વર્ષીય નિલય કૈલાશભાઈ પટેલ બેંગ્લોરમાં ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ પ્રોગ્રામના બીજા વર્ષમાં અભ્યાસ કરતો અને ત્યાં હોસ્ટેલમાં રહેતો હતો. બે દિવસ પહેલા સવારે હોસ્ટેલના લોનમાં રહસ્યમય સંજોગોમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો.