Surat Corporation : સુરત મહાનગરપાલિકામા આજની સામાન્ય સભા પૂર્વ વડાપ્રધાનના અવસાનને કારણે શોક દર્શક ઠરાવ બાદ મુલતવી રાખવાનું નક્કી હતું. પરંતુ માત્ર પાંચથી દસ મિનિટ સુધી ચાલેલી સભા પણ વિવાદી બની હતી. આજની સભામાં પૂર્વ વડાપ્રધાનના શોક દરખાસ્ત ડાયસ પર બેસી વાંચતા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સભા બાદ વિપક્ષે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, વિપક્ષને શોક પ્રસ્તાવ પર બોલવાની તક નથી આપી. આ ઉપરાંત મેયરના શોકસભા પ્રસ્તાવના ભાષણ વખતે સભામાં લગ્નની કંકોત્રી વહેંચાતી હતી જેના કારણે શાસકોએ મૃતકનો પણ મલાજો ન પાળ્યો નથી તેવો આક્ષેપ કર્યો હતો.