ચૈત્રી પૂનમે મા બહુચરનાં દર્શન કરવા દૂર દૂરથી પગપાળા આવતા યાત્રિકો અને સંઘો માટે શ્રી બહુચર અન્નક્ષેત્ર પરમાર્થ આશ્રમના કૌશિકબાપુ રાજકોટવાળા દ્વારા સતત ત્રીજા વર્ષે બહુચરાજી-શંખલપુર રોડ પર કે.કે.હોમ્સ પાસે કેમ્પનું આયોજન કરાયું હતું. જ્યાં સવારે ચા-નાસ્તો તેમજ બપોરે અને સાંજે ભોજન તેમજ આરામ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ચૌદસની સવારથી ચૈત્રી પૂનમની મધરાતે માતાજીની સવારી પધારી ત્યાં સુધી સતત કેમ્પ ધમધમતો રહ્યો હતો. જેનો લાભ 25 હજારથી વધુ માઇભક્તોએ લીધો હોવાનું મહારાજે જણાવ્યું હતું.