Surat : નાગપુર પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસથી ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થયું હતું. ત્યારબાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. આ ગાઈડ લાઈનના આધારે સુરત પ્રાણીસંગ્રહાલયમાં હિંસક પ્રાણીના પિંજરાને ડીસ ઇન્ફેક્શન કરવાની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
હાલમાં HMPV વાઇરસનું સંક્રમણ સામે સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે બીજી તરફ થોડા દિવસ પહેલા નાગપુરના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસથી ત્રણ વાઘ અને એક દીપડાનું મોત થતા સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી એક્શનમાં આવ્યું છે. આ ઓથોરીટીએ ત્રણ જાન્યુઆરીના રોજ સુરત સહિત દેશના તમામ પ્રાણી સંગ્રહાલય માટે એડવાઈઝરી જાહેર કરી છે.