શંખલપુર ગામે બહુચર માતાજીના મંદિરે 325 કિલોગ્રામ તાંબામાંથી તૈયાર કરાયેલું 21 ફુટ ઊંચું ત્રિશૂળની સ્થાપના ગુરૂવારે ધામધૂમથી કરાઇ હતી.જે ગુજરાતનો ઐતિહાસિકનો પ્રથમ પ્રસંગ છે.આરસપહાણની પીઠિકા સાથે તેની ઊંચાઇ 31 ફુટની છે અને કુલ 27 લાખ ખર્ચ થયો છે. મુંબઈ સ્થિત ઘુંટું-મોરબીના દાતા નરભેરામભાઈ માવજીભાઈ સોરિયાના હસ્તે ત્રિશૂળનું અનાવરણ કરાયું હતું. આ અનાવરણના પ્રસંગમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને માઇભક્તો ઉમટી પડયા હતાં. ત્રિશૂળ સ્થાપિત કરવાના પ્રસંગના સાક્ષી બન્યા હતાં. આ પ્રસંગે ટોડા મંદિરના ચેરમેન કાળીદાસ પટેલ, ટ્રસ્ટી મોહનભાઈ દેસાઈ, પૂર્વ સરપંચ પરેશ પટેલ, બાબુભાઈ પટેલ, આનંદના ગરબા મંડળની બહેનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદીઓ પૂર્વે ઋષિ-મુનિઓને રંજાડતા દંઢાસૂર નામના રાક્ષસનો બહુચર માતાજીએ બાળા રૂપે પ્રગટ થઇ ત્રિશૂળથી સંહાર કર્યો હતો. ત્રિશૂળ માતાજીનું મુખ્ય આયુધ હોઇ અહીં સ્થાપના કરાઇ છે. રાજસ્થાનના સુંધા માતાજીના મંદિરે પણ આવા જ ત્રિશૂળના દર્શન થાય છે.