થરાદના વજેગઢ ગામમાં થરાદથી ડીસા રોડ ઉપર આવેલ ગૌસ્વામી સમાજની ધર્મશાળાની બાજુમાં પથુ રાવળ નામના વ્યક્તિ ભંગારનો વાડો ચલાવી રહ્યા છે. તેઓ થરાદ તેમજ આજુબાજુની હોસ્પીટલો માંથી મેડિકલ વેસ્ટ ખરીદીને પણ લાવે છે અને તેઓ મોડી રાત્રે તે વેસ્ટેજને સળગવામાં આવે છે અને તેની સાથે પ્લાસ્ટિક પણ સળગાવવામાં આવે છે.
આનાથી આજુબાજુના રહીશો ખરાબ દુર્ગંધ અને હવામાં ફેલાતા પ્રદૂષણથી પરેશાન થઈ રહ્યા છે. વારંવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વજેગઢ ગામના આગેવાને ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને પણ રજૂઆત કરવામાં આવી હતી કે આવી રીતે હવામાં પ્રદુષણ કરી અને લોકોના આરોગ્ય સાથે ચડા કરી રહ્યા છે પરંતુ ગામના તલાટી અને સરપંચે પણ કાન આડા હાથ કર્યા હતા. તો શું હવે આ પ્રદુષણ આમ ફેલાયા કરશે કે તંત્ર કોઈ કાર્યવાહી કરશે તેવા ગ્રામજનો દ્વારા સવાલો ઉઠવા પામ્યા હતા. સોસાયટીની એક જાગૃત મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં હવામાં પ્રદૂષણની માત્રા વધુ પડતા વાયુ પ્રદૂષણને લઈને માનવ શરીર પર અનેક પ્રકારે નુકસાન અને રોગ થતા હોવાનું તબીબોનુ માનવું છે. સામાન્ય રીતે વધુ પડતા વાયુ પ્રદૂષણ વચ્ચે રહેવાથી માનવીનું સરેરાશ આયુષ્ય બે વર્ષ સુધી ઘટતું હોવાનું સંશોધકોનું કહેવું છે અને ઘણા પ્રકારના રોગ થવાની સંભાવના વધી છે. વાયુ પ્રદૂષણને કારણે સૌથી પહેલા તો શ્વાસને લગતા રોગથી પિડાતા દર્દીઓને તકલીફ્ થાય છે. નબળી ગુણવત્તાવાળી હવાને સતત શ્વાસ વાટે લેવાથી એક પ્રકારે ઝેર શરીરમાં પ્રવેશે છે. હવામા પ્રદૂષક તત્વો ભળે ત્યારે તે માનવ શરીર માટે ધીમુ ઝેર બની જાય છે. હવામાં તરતા પ્રદૂષણના અતિ સુક્ષ્મ રજકણો શ્વાસ વાટે માનવ શરીરમાં પ્રવેશે છે જેના કારણે ગંભીર કહી શકાય તેવા શ્વાસને લગતા અસ્થમા, બ્રોન્કાઈટીસ, ફેફ્સાનું કેન્સર, હૃદયને લગતા રોગ થવાની સંભાવના વધી જાય છે.