નેશનલ હાઇવે 68 ઉપર ગોજારીયા-પાટણ વચ્ચે હાલ ફોર લેનની કામગીરી પ્રગતિ હેઠળ છે.મહેસાણા જિલ્લામાંથી 43.440 કિમી. પસાર થતા આ રોડની કામગીરીમાં કેટલીક જગ્યાએ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. આ રોડના નવીનીકરણ દરમિયાન પ્રજા તરફ્થી મળેલા સૂચનો અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ તેમજ સ્થાનિક નાગરિકોના ડેલીગેશન દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અન્વયે મહેસાણા સાંસદ દ્વારા ડિઝાઇનમાં બદલાવ માટે કેન્દ્ર સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરાઈ હતી. આ રજૂઆત અન્વયે રોડની કામગીરીમાં ત્રણ સ્થળે ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવ્યો છે અને આ માટે કુલ રૂ.9.69 કરોડ જેટલી વધુ રકમ મંજુર કરવામાં આવી છે. રામપુરા સર્કલ પાસે નવો સ્મોલ વ્હિકલ અંડરપાસ બનાવવામાં આવશે.
પાટણ-ગોજારીયા વચ્ચે કિમી. 52 થી કિમી.126.740 વચ્ચે રોડ નવીનીકરણની ભારત સરકાર દ્વારા કામગીરી આરંભાઈ છે. નેશનલ હાઇવે ઓથોરિટીના ઉપક્રમે ચાલી રહેલી આ કામગીરી દરમિયાન મહેસાણા જિલ્લામાંથી પસાર થતા રોડ અને બ્રિજની ડિઝાઇનમાં બદલાવ માટે પ્રજા તરફ્થી સૂચનો કરવામાં આવ્યા હતા. આ સૂચન અંતર્ગત મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ નોડલ એજન્સી નેશનલ હાઇવે ઓથોરિટીએ બ્રિજની ડિઝાઇન બદલવાની જાહેરાત કરી છે. સાંસદની કેન્દ્રમાં રજૂઆત બાદ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા મહેસાણા જિલ્લામાંથી પસાર થતા આ રોડ પૈકીના કુલ 43.340 કિમી. રોડના નવીનીકરણ દરમિયાન પાંચોટ, પાલાવાસણા સર્કલ, રામપુરા સર્કલ ખાતે મૂળ કામમાં ડિઝાઇન બદલી વધુ 9.69 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. પાંચોટ સર્કલ પાસે પ્રજા તરફ્થી મળેલી રજૂઆત બાદ બ્રિજની ડિઝાઇન બદલવા સૂચન કરવામાં આવ્યું હતું. આ સૂચન અંતર્ગત ડિઝાઇન બદલી રૂ.3,59,09,317 નો વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ સર્કલ પાસે બ્રિજના નીચેના ભાગને ખુલ્લો રાખી પ્રજાજન તેનો અસરકારક ઉપયોગ કરી શકે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને નેશનલ હાઇવે ઓથોરિટીએ સ્વીકારી નવો ખર્ચ મંજુર કર્યો છે.
પાલાવાસણા સર્કલ પાસે બની રહેલા ઓવરબ્રિજની લંબાઈ મહેસાણા તરફ્ વધુ લંબાવીને બહુચરાજી તરફ્ જવાના રસ્તા ઉપર પણ સહેલાઈથી પસાર થઈ શકાય તે માટે બ્રિજની ડિઝાઇનમાં બદલાવ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત પણ સ્વીકારી બ્રિજની ડિઝાઇન અપગ્રેડ કરી કુલ રૂ.4,31,6 4,730નો વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આ માટે 18 ને બદલે હવે 20 સ્પાનનો બ્રિજ બનાવાશે. પાલવાસણા ગામને જોડતા સર્વિસ રોડ માટે પણ કુલ રૂ.1,34 ,30,000નો વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. રામપુરા સર્કલ પાસે બની રહેલા નવા ઓવરબ્રીજને લઈને ઉદભવેલી સમસ્યાના નિરાકરણ માટે રામપુરા તરફ્ વધારાનો SVUP(સ્મોલ વ્હિકલ અંડરપાસ)નું કામ મંજુર કરવામાં આવ્યું છે. આ માટે રૂ.4 4,63,720નો વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.