Maha Kumbh Yatra : ગુજરાત રાજ્ય સરકારે મીડિયાને જાણકારી આપતાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગ રાજ જાય છે, ત્યારે ટુરિઝમ અને GSRTC બસ – Volvo રોજ આવવા જવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. ત્રણ રાત્રિ અને ચાર દિવસનું પેકેજ તૈયાર કરાયું છે. યાત્રાળુઓની પહેલી બસને 27મી જાન્યુઆરીએ ગાંધીનગરથી લીલી ઝંડી અપાશે.
શ્રદ્ધાળુઓ સરળતાથી અને ઓછી કિંમતે મુસાફરી કરી શકે એ માટે તમામ વિભાગોએ સાથે મળીને સુવિધાઓમાં ઉમેરો કર્યો છે. આ ટુર પેકેજ માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.