Benefits of nutmeg powder: ભારતીય ભોજનમાં ઘણા પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાંથી એક જાયફળ છે. ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવાની સાથે જાયફળને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જાયફળના ફાયદાઓને વધુ વધારવા માટે તેને દૂધમાં નાખીને પીવું ખૂબ જ સારું માનવામાં આવે છે. રાત્રે ઊંઘતા પહેલા દૂધમાં એક ચુટકી જાયફળ પાવડર મિક્સ કરીને પીવાથી ખૂબ રાહત મળે છે. આયુર્વેદમાં પણ જાયફળના ઘણા ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાયફળ પોતાના હીલિંગ ગુણો માટે જાણીતું છે.