Surat Railway Station : સુરત રેલવે સ્ટેશન પસાર થઇ રહેલી અજમેર-દાદર ટ્રેનનો જનરલ કોચનો દરવાજો ન ખોલતાં મુસાફરો વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ પિત્તો ગુમાવ્યો હતો અને બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફર અજમેરથી મુંબઇ તરફ જઇ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરતના રેલવે સ્ટેશને સ્ટોપ કર્યું હતું. આ દરમિયાન દરરોજ અપ-ડાઉન કરતાં સ્થાનિક મુસાફરોએ જનરલ કોચ પ્રવેશ કરવા ગયા તે સમયે અંદર બેઠેલા મુસાફરોએ અંદરથી કોચનો દરવાજો બંધ કરી દીધો હતો.