રેલવે કોર્ટે છ માસની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો
રાધામોહન એપાર્ટમેન્ટમાં રહેતા શખ્સ સામે સજાની અમલવારી માટેનું વોરંટ પણ ઈસ્યુ કરાયું
ભાવનગર: શહેરના વાઘાવાડી રોડ પર રહેતા શખ્સને રેલવે ટિકિટની કાળાબજારીના કેસમાં રેલવે કોર્ટે ફટકારેલી સજાને ડિસ્ટ્રીક્ટ કોર્ટે કાયમ રાખી આરોપીએ કરેલી અપીલને ફગાવી દીધી હતી.
આ અંગે જાણવા મળ્યા મુજબ શહેરના વાઘાવાડી રોડ, રાધધામોહન એપાર્ટમેન્ટમાં રહેતો ઉમેશ મહેશભાઈ ઓઝા નામના શખ્સની સામે ટ્રેનની ઓનલાઈન ટિકિટનો કાળાબજાર કરવા બદલ આરપીએફ દ્વારા રેલવે એક્ટની કલમ ૧૪૩ (એ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ રેલવે કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા અને દલીલોને ધ્યાને લઈ ઉમેશ ઓઝા સામે ફરિયાદ સાબિત થતાં રેલવે કોર્ટે શખ્સને તકસીરવાન ઠેરવી રેલવે એક્ટની કલમ ૧૪૩ (એ) હેઠળ ગુનાના કામે છ માસ સાદી કેદની સજા, રૂા.