Amreli Fake letter Scandal : સૌરાષ્ટ્રના અમરેલીમાં ભાજપની આંતરિક જૂથબંધીનો ભોગ બનેલી પાટીદાર યુવતીના મુદ્દે સુરત સહિત ગુજરાતમાં પડઘા પડી રહ્યા છે. ત્યારે આજે સોમવારે (13 જાન્યુઆરી) સુરતના વરાછાના માનગઢ ચોકમાં ધરણાં પર બેસે તે પહેલાં જ પરેશ ધાનાણી, પ્રતાપ દૂધાત સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવ્યા બાદ સાંજે 5:00 વાગ્યાની આસપાસ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.
આજે સુરતમાં હતો ધરણાનો કાર્યક્રમ
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માનગઢ ચોક ખાતે પરેશ ધાનાણીએ ધરણાંનો કાર્યક્રમ રાખ્યો હતો. જોકે વરાછાના માનગઢ ચોકમાં પરેશ ધાનાણી સહિતના કોગ્રેંસ કાર્યકરો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.